ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવરાજ : આ નામે કેટલીક જૈનેતર કૃતિઓ મળે છે જેમાંની ‘દાણલીલાના ૧૫ સવૈયા’ નામની કૃતિના કર્તા વૈષ્ણવમાર્ગી હોવાથી ને એની ભાષા અર્વાચીન જણાવાથી એ જીવરાજ-૩થી જુદા હોવાનું અનુમાન થયું છે. કૃષ્ણભક્તિનાં ૩ પદ મુદ્રિત મળે છે તે પણ કદાચ એમનાં હોય. ‘બૃહત્ કાવ્યદોહન’માં શિવાનંદને નામ મુદ્રિત થયેલાં શિવપૂજનનાં ૧૦ પદોમાંથી ૩ પદ ‘જીવરાજ’ છાપ દર્શાવે છે, તે એ કવિનું સંન્યાસી થયા પછીનું નામ હોવાનું જણાવાયું છે. ૧૪ કડીની ‘(મંડપ દુર્ગમંડન) સુપાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ જૈન કૃતિ પણ આ નામે મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા જીવરાજ છે એ નિશ્ચિત થતું નથી. કૃતિ : બૃકાદોહન : ૫ (+સં.), ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]