ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જીવવિજય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. કીર્તિવિજય (ઈ.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિયું’, ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ’ અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન’, ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયાળની સઝાય’ - એ મુદ્રિત કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩; ૩. સઝાયમાલા (પં.).[ર.સો.]