ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ડ/ડોસો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ડોસો [ઈ.૧૭૨૬માં હયાત] : જૈનેતર કવિ. પિતાનું નામ વેલો. કવિ પિતાના નામ પરથી ‘વેલાણી’ નામને અંતે લખે છે વતન જામનગર પાસે કાલાવાડ. એમના ૭૦ કડીના ‘કૃષ્ણચરિત્રનો સલોકો/બાળલીલાનો સલોકો/રાધાકૃષ્ણનો સલોકો’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, જેઠ સુદ ૩, સોમવાર)માં બાળલીલા ને રાધાના દાણાના રસિક પ્રસંગના આલેખન ઉપરાંત કંસવધ સુધીનું વૃત્તાંત આવે છે. ‘ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી’માં આ કૃતિનો ઉલ્લેખ ભૂલથી ૨ અલગ કૃતિઓ તરીકે થયેલો છે. સંદર્ભ : ૧. કવિચરિત ૩; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફોહનામાવલી.[કી.જો.]