ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/ત્રિકમ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ત્રિકમ-૪ [ઈ.૧૭૮૨ સુધીમાં] : અવટંકે પાઠક. જ્ઞાતિએ બ્રાહ્મણ. ‘કામનાથનો મહિમા’ (લે. ઈ.૧૭૮૨)ના કર્તા. ‘બહુચરાજીનો ગરબો’ આ કવિને નામે નોંધાયેલ છે. તેમાં ભૂલ થયેલી જણાય છે. સંદર્ભ : ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨.[ચ.શે.]