ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દયામેરુ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દયામેરુ [ઈ. ૧૮૨૪માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ઉદયતિલકની પરંપરામાં કુશળકલ્યાણના શિષ્ય. ‘બ્રહ્મસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૪/સં. ૧૮૮૦, જેઠ સુદ ૧૦, બુધવાર)ના કર્તા. સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧)[શ્ર.ત્રિ.]