ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દાનવિજ્ય : આ નામે ૪ કડીનું ‘શત્રુંજ્ય-સ્તવન’ (મુ.), ૧૧ કડીનું ‘મૈત્રાણાતીર્થ-સ્તવન’, ૯ કડીનું ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘ચોવીસી’ મળે છે તે કયા દાનવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. પ્રાપ્ત સંદર્ભોમાં આમાંની કેટલીક કૃતિઓ તે જયવિજ્યશિષ્ય દાનવિજ્યને નામે મુકાયેલી છે. કોઈ દાનવિજ્યે સ્વકૃત ‘કલ્પસૂત્ર-સ્તવન’ પર બાલવબોધ (ર.ઈ.૧૬૬૬) રચ્યો હોવાની માહિતી મળે છે. તે દાનવિજ્ય-૧ કે ૨ છે કે તેમ નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ; ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]