ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દૌલત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


દૌલત [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [કી.જો.]