ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/ધર્મ-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધર્મ-૩ [ઈ.૧૮૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં રત્નવિજ્યના શિષ્ય. એમનું ૪ ઢાળનું ‘જિન પ્રતિમા-સ્થાપનગર્ભિત-શંખેશ્વરપાર્શ્વનાથ-સ્ત્વન’ (લે. ઈ.૧૮૩૯; મુ.) મુદ્રિત પાઠમાં તેમ જ હસ્તપ્રતયાદીમાં વચ્ચેની થોડીક ગુરુપરંપરા જુદી બતાવે છે. માત્ર ‘ધર્મ’ નામછાપ ધરાવતી આ કૃતિ ધર્મવિજ્યને નામે તથા ભૂલથી રત્નવિજ્યને નામે પણ નોંધાયેલી છે. કવિએ આ ઉપરાંત ૧૧ કડીની ‘બે-ઇન્દ્રિય જીવોની ઉત્પત્તિની સઝાય’ (મુ.) રચી છે. કૃતિ : પ્રવિસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]