ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રસમચંદ્ર સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રસમચંદ્ર(સૂરિ) [ ઈ.૧૩૬૬ આસપાસ] : કૃષ્ણર્ષિગચ્છના જયસિંહસૂરિના શિષ્ય. રાજસ્થાનમાં અલ્વર પાસે આવેલા રાવણિ ગામના પાર્શ્વનાથના મંદિરની પ્રશસ્તિ રૂપે રચાયેલ, ૩ ભાસની ૧૬ કડીના ‘રાવણિયાપાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૩૬૬ આસપાસ; મુ.)ના કર્તા. કવિએ કૃતિમાં વસંતવર્ણનની સાથે પૂજાવિધિ પણ વણી લીધી છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. ગુસાઇતિહાસ : ૧;  ૩. બુદ્ધિપ્રકાશ, માર્ચ ૧૯૮૦-‘પ્રસન્નચંદ્રસૂરિકૃત રાવણિપાર્શ્વનાથ-ફાગુ’, રમણલાલ ચી. શાહ[શ્ર.ત્રિ.]