ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/બૃહત્ કાવ્યદોહન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


‘બૃહત્ કાવ્યદોહન : ૫’માં ખંભાતના કાનકટા ધર્મના સાધુ ભવાન ભક્તને નામે દર્શાવાયેલાં ૭ મુદ્રિત પદો પૈકી ગોપીપ્રેમનાં ૪ અને આત્મજ્ઞાન વિષયક ૧ પદ ‘નાથ ભવાન’ છાપ બતાવે છે, જેમાંનું છેલ્લું અનુભવાનંદનું છે. આમ, આ બધી કૃતિઓનું કર્તૃત્વ પૂરેપૂરું સ્પષ્ટ થઈ શકતું નથી. કૃતિ : ૧. ઉદાધર્મ પંચરત્નમાલા, પ્ર. સ્વામી જગદીશચંદ્ર યદુનાથ, ઈ.૧૯૬૮ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧, ૨; ૩. બૃકાદોહન : ૫ (+સં.); ૪. પ્રાકાસુધા : ૨; ૫. નકાદોહન; ૬. ભજનસાગર : ૨; ૭. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.; ગી.મુ.]