ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભલઉ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભલઉ [ઈ.૧૫૧૭ સુધીમાં] : જૈન સોમસુંદરસૂરિના શિષ્ય. જિનદેવને નામે મુદ્રિત ૩૦ કડીના ‘સત્તાવીસ ભવનું મહાવીર-સ્તવન’ (લે.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, આસો-; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૯-‘શ્રી સોમસુંદરસૂરિ સેવક જિનદેવકૃત સત્તાવીસ ભવનું શ્રી મહાવીરસ્વામી સ્તવન’, સં. શ્રી કંચનવિજયજી. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [શ્ર.ત્રિ.]