ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાણવિજય : આ નામે ૧૩ કડીની ‘નેમબારમાસા’, ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન (ચિંતામણિ)’ અને ‘પાર્શ્વનાથ-સ્તવનત્રિક’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભાણવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]