ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમરાજ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમરાજ [ઈ.સ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ખરતરગચ્છના જિનવિજયસૂરિની પરંપરામાં ગુલાલચંદના શિષ્ય. તે સાધુ છે કે શ્રાવક તે નિશ્ચિત નથી. ‘શત્રુંજયઉદ્ધાર-રાસ’ (ર.ઈ.૧૭૬૦/સં. ૧૮૧૬, જેઠ સુદ-) તથા ૧૧ કડીના ‘લોદ્રવા-સ્તવન’ (ર.ઈ.૧૭૬૮)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૩(૧).[ગી.મુ.]