ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માંડણ માંડણદાસ


માંડણ/માંડણદાસ : આ નામે ‘મનને બોધ’ (મુ.), ૧૦ કડીનો ‘નંદલાલજીનો ગરબો’ તથા અન્ય કેટલાંક પદ મળે છે એ કૃતિઓ કયા માંડણની છે તે નિશ્ચિત થઈ શકતું નથી. કૃતિ : બૃકાદોહન : ૭.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે; ૩. ડિકૅટલૉગભાવિ.
[નિ.વો.]