ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણિક્યવિજ્ય-માણેકવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માણિક્યવિજ્ય/માણેકવિજ્ય [ઈ.૧૬૮૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વાચક શાંતિવિજ્યની પરંપરામાં ક્ષમાવિજ્ય/ખિવાવિજ્ય-હેમવિજ્યના શિષ્ય. ૧૪ ઢાળમાં ૧૦૭ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર.ઈ.૧૬૮૬/સં.૧૭૪૨, વૈશાખ સુદ ૩, રવિવાર; મુ.) ૨૨/૨૩ કડીની ‘અમલવર્ણન-સઝાય’(મુ.), ‘ચોવીશી’, ‘નેમિરાજિમતી પંદરતિથિ’ તથા ૧૧ ઢાળમાં ૧૨૭ કડીની ‘પર્યુષણપર્વનાં નવ વ્યાખ્યાનો અથવા કલ્પસૂત્રની સઝાય/પર્યુષણપર્વ વ્યાખ્યાનની સઝાય’(મુ.) ‘વૈરાગ્ય-ગીત’ નામની કૃતિઓના કર્તા. કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ; ૩. દેસ્તસંગ્રહ; ૪. પ્રામબાસંગ્રહ (+સં.). સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસાસ્વરૂપો; ૩. જૈગૂસારત્નો : ૧; ૪. જૈસાઇતિહાસ;  ૫. સ્વાધ્યાય, નવે. ૧૯૭૨-‘નેમરાજુલબારમાસા’, શિવલાલ જેસલપુરા;  ૬. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી. [ર.ર.દ.]