ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનચંદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનચંદ્ર-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૮ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’ના કર્તા. સમરચંદ્ર પછી પાટે આવેલા રાયચંદ્રના આચાર્ય પદપ્રાપ્તિના મહોત્સવ (ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, વૈશાખ સુદ ૯)માં આ માનચંદ્ર ઉપસ્થિત હતા તેવું જયચંદ્રગણિકૃત ‘રસરત્ન-રાસ’ પરથી સમજાય છે. સંદર્ભ : ૧. ઐરાસંગ્રહ : ૧;  ૨. શ્રી પાર્શ્વચંદ્રગચ્છ ટૂંક રૂપરેખા; પ્ર. જૈન હઠીસીંગ સારસ્વતીસભા, સં. ૧૯૯૭;  ૩. જૈગૂકવિઓ : ૨. [ર.ર.દ.]