ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનપુરી મનાપુરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માનપુરી/મનાપુરી [                ] : ગોસાંઈ બાવો હોવાની શક્યતા છે. ૧૯ કડવાંએ અધૂરા મળતા ‘ઉષાહરણ/ઓખાહરણ’ (ર.ઈ.૧૬૯૪ અનુ.)ના કર્તા. ‘કૃષ્ણલીલાનાં પદો’ પણ આ માનપુરીનાં હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘વીરસિંહકૃત ઉષાહરણ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા;  ૪. કદહસૂચિ; ૫. ગૂહાયાદી; ૬. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]