ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલ-માલદેવ-મુનિમાલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માલ/માલદેવ/મુનિમાલ : માલ કે માલમુનિને નામે ૧૯/૨૦ કડીનું ‘મનભમરા-ગીત/ભમરા-ગીતમ્’(લે. ઈ.૧૬૪૫), ૧૦ કડીનું ‘શીલ-ગીત’(લે. ૧૬૪૪), ૪ કડીનું ‘સૂઆ-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.), ૧૦ કડીની ‘પરનારી પરિહાર-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ‘અંજનાસતી-રાસ/ચોપાઈ (લે.ઈ.૧૬૦૭), ૯૦ કડીની ‘ગયસુકુમાલ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૭ કડીની ‘મહાવીર-સઝાય’ (લે. ઈ.૧૬૪૫), ૧૫ કડીની ‘રાજિમતીનેમ-સઝાય’ (લે.ઈ.૧૬૪૫), ૫૫ કડીનું ‘મૌન એકાદશી-સ્તવન’ (લે. ઈ.૧૬૭૪), ૫/૧૯ કડીનું ‘વૈરાગ્ય-ગીત’, ૭ કડીની ‘આત્મશિક્ષા-સઝાય’, ૧૦ કડીની ‘વૈરાગ્ય-સઝાય’ મળે છે. તેમના કર્તા કયા માલ/માલમુનિ છે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. માલદેવ/મુનિલાલને નામે ૨૮/૩૧ કડીની હિંદી-રાજસ્થાનીની છાંટવાળી, પ્રથમ ૩ કડી દુહામાં અને બાકીની ચોપાઈમાં લખાયેલી ‘જીરણશેઠની સઝાય/મહાવીર-સ્વામીના પારણાનું સ્તવન/મહાવીર સ્વામીનું તપપારણું/વીરપારણા-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી અનુ; મુ.), ૫ કડીનું ‘સીમંધરનું પદ’(મુ.) તથા ‘પદમસીપદ્માવતી-ચોપાઈ’ (લે. સં. ૧૮મી સદી) મળે છે. આ કૃતિઓ ભાવદેવશિષ્ય માલદેવની હોવાની સંભાવના છે. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈસસંગ્રહ(ન.). સંદર્ભ : ૧. કેટલૉગગુરા; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]