ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિપ્રભ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિપ્રભ(સૂરિ) [ઈ.૧૬મી સદી સુધીમાં] : અપભ્રંશની અસરવાળી, ૧૦૮ જૈન મંદિરોનો ઉલ્લેખ કરતી, ૨૪ કડીની ‘અષ્ટોત્તરી તીર્થમાળા’ (લે.ઈ.૧૬મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ. ૧૯૫૪-‘શ્રી મુનિપ્રભસૂરિકૃત અષ્ટોત્તરી તીર્થમાળા’, સં. ભંવરલાલ નાહટા. [શ્ર.ત્રિ.]