ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન મોહન મુનિ-મોહનવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય [                ] : જૈન સાધુ. મોહનને નામે હિન્દી-ગુજરાતી-મિશ્ર ભાષામાં ૧૬૨ દુહામાં રચાયેલી ‘ષષ્ટિશતકના દોહા/ષષ્ટિશતક ભાષા-દુહા’ (લે.ઈ.૧૮૭૫), ૫ કડીનું ‘અજિતનાથ-સ્ત્વન’(મુ.), ૬ કડીનું ‘શાંતિનાથજિન-સ્તવન’(મુ.), ૨૬ કડીની ‘રુક્મિણીની સઝાય’(મુ.), ૭ કડીની જંબૂસ્વામી વિષયક ‘ગહૂંલી’(મુ.), મોહનમુનિને નામે ૨૭ કડીની ‘ખંધકઋષિ-સઝાય’ (લે.ઈ.૧૮૪૨; મુ.) અને મોહનવિજ્યને નામે ૯ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-સઝાય’(મુ.), ૪ કડીની ‘વિમલાચલ-વસંત’ (લે.સં. ૧૯મું શતક અનુ.)-એ કૃતિઓ મળે છે, પણ તે કયા મોહન/મોહન(મુનિ)/મોહનવિજ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. નાનજી સાધુને નામે મુકાયેલું ૫ કડીનું ‘ઋષભજિન-સ્તવન’ મોહન(મુનિ) અથવા નારાયણની કૃતિ જણાય છે. જુઓ નરાયણ. કૃતિ : ૧. ઐસમાલા : ૧; ૨. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧; ૩. જિનગુણપદ્યાવલી, પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, ઈ.૧૯૨૫; ૪. જિભપ્રકાશ; ૫. જિસ્તસંગ્રહ; ૬. જૈરસંગ્રહ; ૭. જૈસસંગ્રહ(ન); ૮. મોસસંગ્રહ; ૯. સજઝાયમાલા (શ્રા) : ૧; ૧૦. સજ્ઝાયમાાળા (પં); ૧૧. સમન્મિત્ર (ઝ). સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]