ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશોવર્ધન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


યશોવર્ધન-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છની ખેમશાખાના જૈન સાધુ. સુગુણકીર્તિની પરંપરામાં રત્નવલ્લભના શિષ્ય. ૩૨ ઢાલના ‘ચંદનમલયાગિરિ-રાસ’ (ર.ઈ.૧૬૯૧/સં.૧૭૪૭, શ્રાવણ સુદ ૬), ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૯૫), ‘વિદ્યાવિલાસ-રાસ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, કારતક સુદ ૨) અને ૮ કડીના ‘નેમિનાથ-ગીત’ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]