ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવિજ્ય-૨ [ઈ.૧૭૫૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યની પરંપરામાં પુણ્યવિજ્યના શિષ્ય. ૬૫ ઢાળની ૧૫૦૧ ગ્રંથાગ્ર ધરાવતી ‘શુકરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૨/સં.૧૮૦૮, આસો સુદ ૧૦, ગુરુવાર), ચૈત્યવંદનસંગ્રહ તથા ‘પ્રતિમાસ્થાપનગર્ભિત પાર્શ્વજિન-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ;  ૪.જૈગૂકવિઓ : ૩(૧); ૫. લીંહસૂચિ. [ર.ર.દ.]