ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નવિમલ પાઠક-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નવિમલ(પાઠક)-૪ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : વડખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. જિનચંદસૂરિની પરંપરામાં વાચક કનકસાગરના શિષ્ય. ૫૫૦ ગ્રંથાગ્રની ‘સનત્કુમાર-પ્રબંધ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૬૭/સં.૧૮૨૩, ભાદરવા સુદ ૨, રવિવાર), ‘મંગલકલશ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૬/સં.૧૮૩૨, બીજો શ્રાવણ સુદ ૧૫), ૯ ઢાળના ‘ઇલાપુત્ર-રાસ’ (ર.ઈ.૧૭૮૩) તથા ૨૫ ઢાળની ‘તેજસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૩/સં.૧૮૩૯, પ્રથમ જેઠ વદ ૧૦, મંગળવાર) એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો, ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. જૈગૂકવિઓ : ૩(૧); ૬. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]