ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રત્નહર્ષ : આ નામે ૧૪ કડીની ‘શિખામણની સઝાય’, ‘ઉપદેશસિત્તરી’ (લે.ઈ.૧૮૮૩), ૨૧ કડીનું ‘ફલવર્ધિ-પાર્શ્વનાથ-સ્ત્વન’ તથા ૪૮ કડીનું ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા રત્નહર્ષ છે તે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. ડિકૅટલૉગબીજે; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]