ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજહર્ષ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજહર્ષ-૧ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં લલિતકીર્તિ ઉપાધ્યાયના શિષ્ય. ‘થાવચ્ચા શુકસેલગ-ચોપઈ’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, માગશર સુદ ૧૩, સોમવાર), ‘અર્હન્નક-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, મહા સુદ ૧૫, ગુરુવાર) તથા ૩૦ કડીની ‘નેમિ/યાદવ-ફાગ’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૯-‘રાજહર્ષ-વિરચિત નેમિ-ફાગ’, સં. જ્ઞાનવિજ્ય (+સં.). સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. દેસુરાસમાળા; ૩. પ્રાકારૂપરંપરા; ૪. યુજિનચંદ્રસૂરિ;  ૫. જૈગૂકવિઓ; ૨, ૩(૨); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]