ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાણા [ઈ.૧૪૧૫માં હયાત] : પારસી કવિ. કામદીનના પુત્ર. પૂર્વજો દ્વારા સંસ્કૃત ભાષામાં અનૂદિત થયેલા ગ્રંથો ‘અર્દાવિરાફનામા’, ‘ખોરદેહ અવસ્થા’ તથા ‘બહમનયશ્ત’ના એમણે ઈ.૧૪૧૫માં ગુજરાતી અનુવાદ કર્યા છે. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પારસી સાહિત્યનો ઇતિહાસ, પીલાં ભીખાજી મકાટી, ઈ.૧૯૪૯.[ર.ર.દ.]