ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામ : આ નામે મળતી જૈનેતર કૃતિઓમાં રાધાકૃષ્ણની શૃંગારક્રીડાને પદસદૃશ ૭ કડવાંની ૪૮ કડી અને ૧ પદમાં આલેખતી ‘અમૃતકચોલડાં/રાધાકૃષ્ણ-ગીત’ (મુ.) પ્રાસાદિક રચના છે. દરેક કડવાના પ્રારંભમાં ત્રૂટક તરીકે ઓળખાવાયેલી ૧ કડી પદના ભાવાર્થનું સૂચન કરે છે અને તેનો અંતિમ શબ્દ પદની પછીની કડીનો પ્રારંભક શબ્દ બની પદને સાંકળી-બંધવાળું બનાવે છે. કૃતિના પ્રાસઅનુપ્રાસ ને પદમાધુર્ય શૃંગારભાવને પોષક બનીને છે. કૃતિનું ભાષાસ્વરૂપ જોતાં એ રામ-૨ની હોઈ શકે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત, ‘ભક્તવેલ’, ‘દાણચાતુરી’ અને ‘પંચીકરણ(ટીકા સાથે)’ એ જૈનેતર કૃતિઓ પણ મળે છે. તો ૧ કડીની ‘જિન-નમસ્કાર’ (લે.ઈ.૧૮૦૭), ૪ કડીની ‘ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન’(મુ.), ૩ કડીની ‘જિનપૂજાનું ચૈત્યવંદન’(મુ.), ૭ કડીની ‘ગહૂંલી’(મુ.), ૫ કડીનું ‘સામાન્ય જિન-સ્તવન’(મુ.), હિંદીની અસરવાળું ૩ કડીનું ‘પરમાત્માનું ચૈત્યવંદન’(મુ.) તથા ૧૪ કડીની ‘મૃગાપુત્રની સઝાય’(મુ.) એ રામ અને રામમુનિના નામે ૯ કડીની ‘અધ્યાત્મ-સઝાય’-એ જૈન કૃતિઓ મળે છે. આ બધી જ કૃતિઓના કર્તા કયા રામ છે તે નિશ્ચિત રીતે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧; ૩. ચૈસ્તસંગ્રહ : ૧; ૪ જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈકાસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. સસન્મિત્ર(ઝ);  ૯. સ્વાધ્યાય, જાન્યુ. ૧૯૬૬-‘કવિ રામની બે પ્રાચીન રચનાઓ, સં. મંજુલાલ મજમુદાર. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી.[ચ.શે. ; શ્ર.ત્રિ.]