ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર-૨-રામચંદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામચંદ્ર-૨/રામચંદ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદની પરંપરામાં પદ્મરંગના શિષ્ય. ‘મૂલદેવ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૫૫), ૩ ઢાલ અને ૩૪ કડીના ‘દસપચ્ચ ખાણનું સ્તવન/દશપ્રત્યાય આખ્યાન-સ્તવન’ (ર.ઈ.૧૬૭૫/સં. ૧૭૩૧, પોષ સુદ ૧૦; મુ.), હિન્દી-રાજસ્થાનીમાં વૈદકને લગતાં ‘રામવિનોદ’ (ર.ઈ.૧૬૬૨-૬૩), ૩૯ કડીની ‘નાડીપરીક્ષા’, ૧૩ કડીની ‘માનપરિમાણ’ અને ‘સારંગધરભાષા/વૈદ્યવિનોદ’ (ર.ઈ.૧૬૭૦/સં. ૧૭૨૬, વૈશાખ સુદ ૧૫)ના કર્તા. ‘ઉપદેશકો-રાસો’ (ર.ઈ.૧૬૭૩) એ હિન્દી કૃતિ પણ આ કર્તાની હોવાની શક્યતા છે. ‘લીંબડીના જૈન જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રતિઓનું સૂચિપત્ર’માં ‘દશ પ્રત્યાય આખ્યાન-સ્તવન’ની ર.સં.૧૭૭૧ નોંધાઈ છે તેમાં છાપભૂલ હોવા સંભવ છે. કૃતિ : ૧. અરત્નસાર; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૩. જિભપ્રકાશ; ૪. દેસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૧,૨); ૩. ડિકૅટલૉગબીજે; ૪. મુપુગૂહસૂચી; ૫. રાહસૂચી : ૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]