ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય-૫

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવ/વિજ્યધર્મની પરંપરામાં રંગવિજ્યના શિષ્ય. મૂળ હેમચંદ્રસૂરિના ‘પરિશિષ્ટપર્વ(ત્રિષષ્ટિ)’ના સ્તબક (ર.ઈ.૧૭૪૬/૧૭૭૮) અને મૂળ જિનકીર્તિસૂરિની ઈ.૧૭૭૪ની સંસ્કૃત રચના ‘ધન્યશાલિભદ્ર-ચરિત્ર (દાનકલ્પદ્રુમ)’ પરના ૯ પલ્લવના સ્તબક (ર.ઈ.૧૭૭૭/૧૭૭૯)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]