ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ-રૂપચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપચંદ/રૂપચંદ્ર : આ નામે ૯ ઢાલ અને ૪૭ કડીમાં નેમરાજુલકથાના મુખ્ય પ્રસંગ-અંશોને ટૂંકમાં પણ પ્રાસાદિક અને રસાવહ રીતે આલેખતી ‘નેમિનાથ નવરસો’ (લે.ઈ.૧૭૮૯;મુ.), ૫ કડીની ‘નેમજીનો ચોમાસો’(મુ.), ૨૧ કડીની ‘વૈરાગ્યની સઝાય’, ૨૦ કડીની ‘સારશિખામણ-સઝાય’, ઋષભદેવ, મહાવીર, સુવિધિનાથ પરનાં કેટલાંક સ્તવનો(મુ.), ‘દોહા શતક’ (લે.ઈ.૧૮૧૫), ૮ કડીની ‘ભક્તવત્સલ મહાવીર’(મુ.), ૭ કડીની ‘વીર નિર્વાણ-ગૌતમનો પોકાર’(મુ.), હિંદીમાં ‘આમલ કી ક્રીડા’(મુ.), ‘વૈરાગ્યોપદેશક-સઝાય’(મુ.), ‘નેમ રાજુલની હોરીનું પદ’, ‘પટ્ટાવલી’, ‘નેમિજીનો વિવાહ’, ‘પંચકલ્યાણ પૂજાનું મંગલ’ તથા રાજસ્થાનીમાં લખાયેલી ૨ ‘આત્મબોધની સઝાય’ (લે.ઈ.૧૭૮૯) મળે છે. ૫ કડીની ‘મનને શિખામણની સઝાય’(મુ.) તથા ઋષભજિન, મહાવીર, પાર્શ્વજિન પરનાં કેટલાંક સ્તવનો ‘રૂપચંદ કહે નાથ નિરંજન’ એ પ્રકારની નામછાપથી જુદાં પડે છે. ૧૧૯ ગ્રંથાગ્રની ‘પરમાર્થ દોહરા’ એ રચના ‘પંડિત રૂપચંદ’ નામછાપ દર્શાવે છે. પ્રસ્તુત બધી જ કૃતિઓના કર્તા કયા રૂપચંદ છે તે વિશે નિશ્ચિતપણે કંઈ કહી શકાય તેમ નથી. ‘મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી સંગ્રહગત ગુજરાતી હસ્તપ્રતસૂચી’ ૭ કડીની ‘નેમ-પદ’, ૨૦ કડીની ‘નેમ રાજિમતી-ગીત’, ૬ કડીની ‘પાર્શ્વજિન(ગોડીજિન)-ગીત’, ૩ કડીની ‘સંભવજિન-ગીત’ અને ૩ કડીની ‘સુવિધિજિન-ગીત’ આ કૃતિઓને રૂપચંદ(મુનિ)-૪ને નામે મૂકે છે પણ તે માટે નિશ્ચિત આધાર મળતો નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈકાસંગ્રહ; ૪. જૈપ્રપુસ્તક : ૧; ૫. જૈસમાલા(શા) : ૩; ૬. જૈસસંગ્રહ(ન);  ૭. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ, ઑગસ્ટ ૧૯૧૪-‘મહાવીરનું પરોપકારી જીવન’, કાપડિયા નેમચંદ ગી; ૮. એજન, ઑક્ટો. નવે. ૧૯૧૪-. સંદર્ભ : ૧. મસાપ્રકારો;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. ડિકૅટલૉગબીજે; ૪. ફૉહનામાવલિ; ૫. મુપુગૂહસૂચી; ૬. રાપુસૂચી : ૪૨; ૭. રાહસૂચી : ૧; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]