ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપવિજ્ય : આ નામે ૯ કડીનું ‘એકાદશી-સ્તવન’(મુ.), ૨૧ કડીની ‘ગૌતમપૃચ્છા-સઝાય’(મુ.), ૬ કડીની ‘પાર્શ્વનાથ મહિમા-લાવણી’(મુ.), ૯ કડીનું ‘મલ્લિનાથજિન-સ્તવન’(મુ.), ૫ કડીનું ‘શંખેશ્વર-પાર્શ્વનાથજિન-સ્તવન’(મુ.), ૫/૬ કડીની ‘સ્થૂલિભદ્રની સઝાય’(મુ.), ૭ કડીની ‘ગહૂંલી’, ૫ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’, ૫, ૭ અને ૨૫ કડીનાં ‘નેમિનાથ-સ્તવન’, ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ (લે.સં.૨૦મી સદી) તથા ૩ ઢાળનું ‘સંઘવી ત્રિકમજીના સંઘનું વર્ણન’ (લે.સં.૧૯મી સદી અનુ.), ‘વિજ્યજિનેન્દ્રસૂરિ-સઝાય’ એ કૃતિઓ મળે છે, પરંતુ આ કૃતિઓના કર્તા કયા રૂપવિજ્ય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિસ્તમાલા; ૨. જૈપ્રાસ્તસંગ્રહ; ૩. પ્રાસપસંગ્રહ : ૧; ૪. રત્નસાર : ૨, પ્ર. શા. હીરજી હંસરાજ, સં. ૧૯૨૭; ૫. શંસ્તવનાવલી; ૬. સજઝાયમાળા(પં.); ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]