ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપ-રૂપો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપ/રૂપો : આ નામે માતાજીની સ્તુતિ કરતાં ૬-૬ કડીનાં ૨ પદ(મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે. તો ‘આબુજીનો છંદ’ (લે.સં. ૧૯મી સદી), ૧૧૨/૧૧૩ કડીનો ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ (લે.ઈ.૧૭૫૪), ૮ કડીની ‘રહનેમિની સઝાય’ (મુ.) અને ૮ કડીની હિંદી કૃતિ ‘નેમિનાથ-ધમાલ’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આમાંની ૮ કડીની ‘રહનેમિની સઝાય’ને કેટલાક સંદર્ભો રૂપવિજ્ય-૨ની માને છે પણ એ માટે નિશ્ચિત આધાર નથી. આ બધી કૃતિઓ કયા રૂપ/રૂપોની છે એ વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈકાપ્રકાશ : ૧; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯; ૫. સસન્મિત્ર (ઝ) સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી : ૧; ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો. , કી.જો.]