ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લબ્ધિવિજ્ય-૨ [ઈ.૧૭૫૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિજ્યની પરંપરામાં અમરવિજ્યના શિષ્ય. ૪ ઉલ્લાસ, ૫૯ ઢાળમાં વિભાજિત ૭૦૦ કડીની દુહાબદ્ધ ‘હરિબલ મચ્છી-રાસ’(ર.ઈ.૧૭૫૪/સં.૧૮૧૦, મહા સુદ ૨, મંગળવાર; મુ.) કવિની ઉલ્લેખનીય રચના છે. જીવદયાનું ધર્માચરણ કરતા હરિબલમાછીને પ્રાપ્ત થતાં સુખસમૃદ્ધિની રોચક કથા એમાં આલેખાઈ છે. ૪ કડીની ‘ચૈત્રીપૂનમની સ્તુતિ’(મુ.), ‘જંબૂસ્વામી-સલોકો’, ૮ કડીની ‘નેમરાજલની સઝાય (મુ.), ૨૭ કડીની ‘સિદ્ધાચલ-ભાસ’ તથા ૨૬ કડીની ‘સંવત્સરી દાન-સ્તવન’(મુ.) એમની અન્ય રચનાઓ છે. કૃતિ : ૧. હરિબલ મચ્છી રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૮૯;  ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૪. જૈસસંગ્રહ(ન) સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]