ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાવણ્યરત્ન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લાવણ્યરત્ન [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદર-હેમવિમલસૂરિની પરંપરામાં સુરહંસના શિષ્ય. ૪૭૫ કડીના ‘વત્સરાજ-દેવરાજ-રાસ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, પોષ સુદ ૧), ૪૦૮ કડીના ‘મત્સ્યોદર-રાસ/મત્સ્યોદરનરેન્દ્રચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/૧૮), ૩૩૮ કડીની યશોધર રાજાના નવભવની કથા કહેતા ‘યશોધર-ચરિત્ર/સમકિતસુંદર-પ્રબંધ/સમકિત(સમ્યકત્વ)સુંદર-રાસ’ (ર.ઈ.૧૫૧૭/સં.૧૫૭૩, કારતક-)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો : ૩. મરાસસાહિત્ય;  ૪. આલિસ્ટઑઇ : ૨; ૫. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]