ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વસંતદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વસંતદાસ [ઈ.૧૮૪૪ સુધીમાં] : ભુજંગી છંદમાં રચાયેલા કાશીમાહાત્મ્ય ગંગાજીનો પાઠ’ (લે.ઈ.૧૮૪૪) તથા પદોના કર્તા. વસનજી/વસીદાસ અને આ કવિ એક હોવાની સંભાવના છે, પરંતુ નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧;  ૨. ગૂહાયાદી; ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]