ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયચંદ-વિનયચંદ્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયચંદ/વિનયચંદ્ર : આ નામે હિંદીમિશ્ર ગુજરાતીમાં ૨૫ કડીની ‘બુઢ્ઢા ઉપદેશ પચ્ચીસી-સઝાય’ (ર.ઈ.૧૮૧૮/સં.૧૮૭૪, ફાગણ સુદ ૨; મુ.), ‘ચંદનબાલા ચોઢાળિયું’ (ર.૧૮૨૯/સં.૧૮૮૫, જેઠ સુદ ૭), ૧૧ કડીનું ‘ચૈત્રીપૂનમ-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી અનુ.), ૧૫ કડીની ‘ચૌદ બોલસહિત ઋષભ શાંતિ-નેમિપાર્શ્વનાથ-જિન-નમસ્કાર’ (લે.સં.૧૮મી સદી અનુ.), ‘પાર્શ્વનાથબૃહદ્-સ્તવન’ (લે.સં.૧૮મી -૧૯મી સદી અનુ.)-આ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા વિનયચંદ/વિનયચંદ્ર છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : શ્રાવક સ્તવનસંગ્રહ : ૨, સં. પાનમલ ભૈ. શેઠિયા, ઈ.૧૯૨૩. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ  : ૧. [ર.ર.દ.]