ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકવિજ્ય-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેકવિજ્ય-૪ [ઈ.૧૮૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદાનસૂરિની પરંપરામાં ડુંગરવિજ્યના શિષ્ય. ૧૧ ઢાલના ‘નવતત્ત્વનું સ્તવન’ (ર.ઈ.૧૮૧૬/સં.૧૮૭૨, આસો સુદ ૧૦, ગુરુવાર; મુ.)ના કર્તા. ‘શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર સ્થિત જૈન જ્ઞાનભંડારોનું સૂચિપત્ર’માં વિવેકસુંદરને નામે નોંધાયેલી ‘નવતત્ત્વવિચારગર્ભિત-આદિજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૧૬) કૃતિ અને પ્રસ્તુત રચના એક હોવા સંભવ છે. કૃતિ : ૧. કસસ્તવન : ૨. ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]