ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષ્ણુદાસ : આ નામે ‘એકાદશીમાહાત્મ્ય-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮) તથા કૃષ્ણભક્તિ ને જ્ઞાનવૈરાગ્યનાં ૫ પદ(મુ.) ગુજરાતી અને હિન્દીમાં મળે છે તેમના કર્તા કયા વિષ્ણુદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. નકાદોહન : ૨. પરિચિત પદસંગ્રહ, સં. ભિક્ષુ અખંડાનંદ, ઈ.૧૯૪૬; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. રાપુહસૂચી : ૪૨; ૨. લીંહસૂચી : ૧. [ચ.શે.]