ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિષ્ણુદાસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિષ્ણુદાસ-૨ [ઈ.૧૮૦૦માં હયાત] : રામકબીર સંપ્રદાયની ઉદાધર્મ શાખાના સંત કવિ. તેઓ વસંતદાસ અને વૈષ્ણવદાસ એ નામથી પણ જાણીતા હતા. તેમના પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ સુંદરબા હતું. રાઘવદાસ પછી તેઓ પુનિયાદની ગાદી પર આવ્યા હતા. ઈ.૧૮૦૦માં તેમના સમય દરમ્યાન મોટો ધર્મમેળો ભરાયો હતો. તેમણે ૭ કડવાંના ‘પદ્મનાભ-આખ્યાન’ની રચના કરી છે. સંદર્ભ : રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર સી. ભટ્ટ, ઈ.૧૯૮૨. [ચ.શે.]