ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલજી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેલજી-૧ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : જૈન. ૯ કડીના ‘જિનસુખસૂરિ-નિર્વાણ’ (ર.ઈ.૧૭૨૪ પછી; મુ.)ના કર્તા. જિનસુખસૂરિનું અવસાન ઈ.૧૭૨૪માં થયું. એટલે આ રચના ત્યારે કે ત્યાર પછી તરત રચાઈ હોય. કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).[ર.ર.દ.]