ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિકુશલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શાંતિકુશલ : આ નામે ૪ કડીની ‘સીમંધર-સ્તુતિ’ (લે. ઈ.૧૭૯૩; મુ.), ૧૪ કડીની ‘જૂ-લીખ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.) અને ૪ કડીનું હિંદીમિશ્ર ગુજરાતીમાં ‘આદીશ્વર ભગવાનનું સ્તવન’ (મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા શાંતિકુશલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. ચૈતસ્તસંગ્રહ : ૧, ૩; ૨. જૈકાસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]