ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


શુભવિજ્ય-૩ [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય. ૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]