ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંયમમૂર્તિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંયમમૂર્તિ-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : વિધિપક્ષના જૈન સાધુ. કમલમેરુના શિષ્ય. ૨૦૧ કડીની ‘કલાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં.૧૫૯૪, જેઠ સુદ ૩, બુધવાર) અને ૭૦ કડીની ‘ગજસુકુમાલ-સંધિ’ (ર.ઈ.૧૫૪૧?)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’એ ‘ગજસુકામાલ-સંધિ’ને આ કર્તાની કૃતિ ગણી છે, પરંતુ એનો રચનાસમય ચોક્કસ નથી. એટલે કૃતિ આ કર્તાની જ હોવા માટે કોઈ નિશ્ચિત પ્રમાણ નથી. એ સંયમમૂર્તિ-૨ની કૃતિ પણ હોય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]