ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સકલેશ્વર-સાંકળેશ્વર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સકલેશ્વર/સાંકળેશ્વર [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ-ઈ.૧૯મી સદી મધ્યભાગ] : માતાજીના ભક્ત. કડીના ઔદીચ્ય બ્રાહ્મણ. અવટંકે જોશી. ત્રણથી ૯૯ કડી સુધી વિસ્તરતા માતાના ૧૩ જેટલા ગરબા (મુ.) તેમના મળે છે. ૨૯ કડીના ‘સલખનપુરીનો ગરબો’ (ર.ઈ.૧૮૬૦/સં.૧૯૧૬, આસો સુદ ૯, બુધવાર; મુ.)માં કથન ને વર્ણનનું તત્ત્વ છે, તો ૯૯ કડીના ‘આશાપુરીનો ગરબો’ (ર.ઈ.૧૮૫૩/સં.૧૯૦૯, ભાદરવા વદ ૯, બુધવાર; મુ.)માં માતાજીનું સ્વરૂપવર્ણન ધ્યાન ખેંચે છે. એમના કોઈક ગરબામાં હિંદીની અસર છે, અને કોઈક ગરબામાં ‘સાંકળો’ એવી નામછાપ મળે છે. કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુખાલીદાસ, ઈ.૧૯૨૩; ૨. કાદોહન : ૨ (+સં.); ૩. ભગવતી કાવ્યસંગ્રહ ૧, પ્ર. શા. ઉત્તમરામ ઉમેદચંદ્ર, સં. ૧૯૩૩; ૪. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯ (+સં.);  ૫. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]