ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુહર્ષ [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૬ કડીની ‘મોટી હોંશ ન રાખવાની સઝાય’(મુ.)ના કર્તા. આ સાધુહર્ષના શિષ્ય રાજશીલની ઈ.૧૫૩૮માં રચેલી ‘અમરસેન વયરસેન-ચોપાઈ’ મળે છે. એ સમયને લક્ષમાં લેતાં સાધુહર્ષ ઈ.૧૬મી સદીના પૂર્વાર્ધમાં હયાત હશે. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જૈસમાલા(શા) : ૨; ૩. જૈસસંગ્રહ(ન). સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. જૈસાઇતિહાસ. [ર.ર.દ.]