ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખસાગર-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખસાગર-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્યગણિ સંતાનીય. ૬ ઢાળના ‘પંડિત શ્રી વૃદ્ધિ વિજ્યગણિ-નિર્વાણ-ભાસ/રાસ’ (ર.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨; ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]