ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરજી મુનિ સુરસાગર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરજી(મુનિ)/સુરસાગર [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : સંભવત: અંચલગચ્છના જૈન સાધુ. અમદાવાદના સંઘવી લીલાધરે અને તેના પુત્રે શત્રુંજ્યના સંઘ કાઢ્યા હતા એ ઐતિહાસિક પ્રસંગને વર્ણવતા ‘લીલાધર-રાસ (સંઘયાત્રા વર્ણન)’ (ર.ઈ.૧૬૬૫ પછી)ના કર્તા. સંઘયાત્રા સં. ૧૭૨૧, માગશર સુદ ૫ના દિવસે થઈ હતી એટલે આ કૃતિની રચના એ પછી થઈ હોય એમ કહી શકાય. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસારસ્વતો;  ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [ર.ર.દ.]