ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરદાસ : આ નામે ‘શ્રીકૃષ્ણચરિત્ર’ અને કૃષ્ણભક્તિનાં ને જ્ઞાનબોધનાં પદ(મુ.) મળે છે. આ રચનાઓ સુરદાસ-૩ની હોઈ શકે, પરંતુ નિશ્ચિતપણે કંઈ કહેવું મુશ્કેલ છે. કૃતિ : ૧. પ્રાકાવિનોદ : ૧; ૨. બૃકાદોહન : ૭. સંદર્ભ : ફૉહનામાવલિ. [ચ.શે.]