ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુરવિજ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરવિજ્ય [ઈ.૧૬૭૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સિદ્ધિવિજ્યના શિષ્ય. ૭૬૪ કડીના ‘રત્નપાલ-રાસ’ (ર.ઈ.૧૬૭૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]