ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમમૂર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોમમૂર્તિ [ઈ.૧૩મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનેશ્વરસૂરિના શિષ્ય. અપભ્રંશપ્રધાન ૩૩ કડીની ‘જિનેશ્વરસૂરિસંયમશ્રીવિવાહવર્ણન-રાસ/જિનેશ્વરસૂરિ-દીક્ષાવિવાહવર્ણન-રાસ/વિવાહલઉ’ (ર.ઈ.૧૨૭૫ આસપાસ; મુ.), ૧૩ કડીની ‘ગુર્વાવલીરેલુયા’, ૧૬ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા-ચર્ચરી’ તથા ૧૨ કડીની ‘જિનપ્રબોધ સૂરિણા બોલિકા’-એ કૃતિઓના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. આકવિઓ : ૧; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. પ્રાકરૂપરંપરા;  ૫. જૈન સત્યપ્રકાશ, જુલાઈ-ઑગસ્ટ ૧૯૪૬-‘વિવાહલઉ’ સાહિત્યનું રેખાદર્શન’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૭. જૈમગૂકરચનાએં : ૧. [ર.ર.દ.]